ઇમુ સોલંકી તથા ક્રિશ્ચિયન યુથ ફેલોશીપ ગ્રુપ (સી .વાય .એફ સ્થાપના 1990)આણંદ દ્વારા 28/12/21 ના રાત્રે 9.00 કલાકે બારાખાહ સેંટર ,આણંદ ખાતે નાતાલ પ્રસંગ ને અનુલક્ષી ને “રઢિયાળી રાત “2021ઓપન ગુજરાત મહોત્સવ નું ભવ્ય આયોજન કરવા માં આવ્યું હતું આ કાર્યક્રમ માં આણંદ ડિસ્ટ્રિક્ટ ના ડીએસ /આણંદ ના તમામ  ડિનોમિનેશન ના પાસ્ટર સાહેબ ,કેપ્ટન સાહેબ ,મેજર સાહેબ એડમિનિસ્ટ્રેટર સાહેબ / પાલિકા પ્રમુખ તથા સાથે સમાજ ને રાજકીય તથા સામાજિક અને રમતગમત ક્ષેત્રે તથા મેડિકલ ક્ષેત્રે  ગૌરવ અપાવનાર વ્યક્તિઓ એ ખાસ હાજર  રહી કાર્યક્રમ ને દીપાવ્યો અને પ્રોત્સાહન પમાડ્યું તે સર્વ નું સન્માન કરવામાં માં આવ્યું  તથા સર્વ નો હૃદય ના અંતઃકરણ થી આભાર માનવામાં આવ્યો, આ કાર્યક્રમ માં વડોદરા / નડિયાદ /અમદાવાદ થી પણ  મિત્રો તથા શુભેચ્છકો આવ્યા હતા તથા સાથે સમગ્ર આણંદ શહેર ના ક્રિશ્ચિયન સમાજે ખુબ ઉત્સાહ અને ઉમંગ થી અને મોટી સંખ્યા માં ઈશ્વરપિતા ની સ્તુતિ કરવા ભાગ લીધો હતો. ગરબા મહોત્સવ નું ઉદ્ઘાટન નગર પાલિકા પ્રમુખ રૂપલ બેન પટેલ તથા ડીએસ રેવ. તુલસી સાહેબ તથા બધા આમંત્રતીતો દ્વારા કરવામાં આવ્યું, પ્રાર્થના રેવ.તુલસી સાહેબ એ કરાવી હતી, અન્ય પાળક સાહેબ માં એમરી હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર મેજર જયંતિ સાહેબ, SBA મેજર એન્ડ્રુઝ ક્રિશ્ચયન, મેજર મહેશ, રેવ. દિલીપ શાહ, બીસીસીઆઈ સિકેક્ટર શ્રી નોએલ રાણા, નવા ચૂંટાયેલા ગ્રામ પંચાયત સભ્ય શ્રીમતી બહેન તથા અન્ય મહેમાનો હાજર હતા. આ કાર્યક્રમ નાં નિર્ણાયક શ્રીમતી રૂપલબેન રાકેશકુમાર અને નડિયાદ નાં જાણીતાં કલાકાર શ્રી મુકેશ કુમાર શાંતિલાલ મેકવાન હતા. કાર્યક્રમ ખુબ સફળ રહ્યો માટે ઇમુ સોલંકી એ ઈશ્વરપિતા નો અને ગ્રુપ ના તમામ મિત્રો ,ડોનર્સ તથા સ્નેહીજનો નો આ કાર્યક્રમ માં સહકાર માટે ખુબ આભાર માન્યો હતો